Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Iranian Foreign Minister likely to visit Delhi before PM Modi's UAE visit

PM મોદીના UAE પ્રવાસ પહેલા ઈરાનના વિદેશ મંત્રી દિલ્હી આવે તેવી શક્યતા, ભારત માટે કૂટનીતિક સંતુલનની કસોટી

Timeછેલ્લું અપડેટ : 11 May 2026
લાઇવ ટીવીGoogle News
PM મોદીના UAE પ્રવાસ પહેલા ઈરાનના વિદેશ મંત્રી દિલ્હી આવે તેવી શક્યતા, ભારત માટે કૂટનીતિક સંતુલનની કસોટી
સોર્સ : gstv

પશ્ચિમ એશિયામાં વધી રહેલા યુદ્ધના તણાવ વચ્ચે રાજદ્વારી ગતિવિધિઓ તેજ બની છે. ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાગચી આ સપ્તાહે ભારતની મુલાકાતે આવે તેવી શક્યતા છે. તેમની આ મુલાકાત માત્ર એક કૂટનીતિક યાત્રા નહીં, પરંતુ પશ્ચિમ એશિયાના સંકટ વચ્ચે એક અત્યંત મહત્વનો વ્યૂહાત્મક સંકેત માનવામાં આવી રહ્યો છે.

App Store

BRICS મંચ પરથી ઈરાન પોતાનો પક્ષ મજબૂત કરશે

ઈરાનના વિદેશ મંત્રી નવી દિલ્હીમાં 14-15 મે, 2026 દરમિયાન યોજાનારી BRICS વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લઈ શકે છે. અમેરિકા અને પશ્ચિમી દેશો સાથે વધતા ટકરાવ વચ્ચે ઈરાન આંતરરાષ્ટ્રીય સ્તરે અલગ ન દેખાય તે માટે BRICS જેવા મંચનો ઉપયોગ કરવા માંગે છે. ઈરાન 2024માં જ BRICS માં સામેલ થયું હતું. હવે તે ઉભરતી અર્થવ્યવસ્થાઓ સાથે મળીને પ્રાદેશિક સંઘર્ષ, પ્રતિબંધો અને ઉર્જા સુરક્ષા જેવા મુદ્દાઓ પર એકસાથે અવાજ ઉઠાવવા માંગે છે.

ભારત માટે કૂટનીતિક સંતુલનની કસોટી

ભારત માટે આ મુલાકાત સંતુલન જાળવવાની મોટી પરીક્ષા સાબિત થશે. એક તરફ ભારત અને ઈરાન વચ્ચે જૂના વ્યૂહાત્મક અને ઉર્જા સંબંધો છે. બીજી તરફ, UAE અને અન્ય ખાડી દેશો સાથે ભારતના આર્થિક અને રાજકીય સંબંધો અત્યંત મજબૂત છે. ખાસ કરીને ભારતીય જહાજો પર થયેલા હુમલા બાદ ભારત સાવચેતીભર્યું વલણ અપનાવી રહ્યું છે.

PM મોદીનો અબુ ધાબી પ્રવાસ પશ્ચિમ એશિયામાં માસ્ટરસ્ટ્રોક

ઈરાનના વિદેશ મંત્રીની મુલાકાત બાદ 18 મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેધરલેન્ડ્સ જતી વખતે અબુ ધાબીમાં રોકાશે. આ મુલાકાતને પશ્ચિમ એશિયાની રાજનીતિમાં માસ્ટરસ્ટ્રોક માનવામાં આવે છે. ભારત અને UAE મળીને ગુજરાત-ફુજૈરાહ-અકાબા ટ્રેડ રૂટના પ્લાનિંગ પર આગળ વધી શકે છે, જે વિશ્વ અર્થતંત્રની દિશા બદલી શકે છે. હોર્મુઝની ખાડીમાં ચાલી રહેલા તણાવ વચ્ચે PM મોદીનો આ પ્રવાસ ઉર્જા સુરક્ષાની દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ છે.

અરાગચીના પ્રવાસના મુખ્ય અર્થ

નિષ્ણાતોના મતે, ઈરાનના વિદેશ મંત્રી ભારતને એક ભરોસાપાત્ર અને સંતુલિત ભાગીદાર તરીકે જોઈ રહ્યા છે. ભારતે અત્યાર સુધી પશ્ચિમ એશિયાના તણાવમાં કોઈ સૈન્ય જૂથનું ખુલ્લું સમર્થન કર્યું નથી અને હંમેશા શાંતિપૂર્ણ વાટાઘાટો પર ભાર મૂક્યો છે. આ મુલાકાત ભારતની વધતી વૈશ્વિક ભૂમિકા અને સંતુલનકારી કૂટનીતિનો મોટો સંકેત છે.