VIDEO: અયોધ્યામાં પવિત્ર સરયૂ નદીના કિનારે ઇન્ટરનેશનલ રામકથા મ્યુઝિયમ નું નિર્માણ ..
સોર્સ : GSTV
ઉત્તર પ્રદેશના અયોધ્યામાં પવિત્ર સરયૂ નદીના કિનારે ઇન્ટરનેશનલ રામકથા મ્યુઝિયમ નું નિર્માણ કાર્ય ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું છે. આ મ્યુઝિયમ પરંપરાગત કલા અને આધુનિક ટેક્નોલોજીનું અદભુત સંગમ બનવા જઈ રહ્યું છે. આ પ્રોજેક્ટ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ હેઠળ વિકસાવવામાં આવી રહ્યો છે. મ્યુઝિયમમાં અદ્યતન ટેક્નોલોજી હોલોગ્રામ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ના માધ્યમથી ભગવાન શ્રી રામના જીવનના વિવિધ પ્રસંગો જીવંત કરવામાં આવશે. તેમાં ભવ્ય ૨૦ ગેલેરીઓ હશે જેમાં રામાયણ કાળ અને ભગવાન હનુમાનજીની વીરગાથા દર્શાવતી ખાસ સંકટ મોચન ગેલેરી આકર્ષણનું કેન્દ્ર બનશે.

