Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Indian oil tanker Paradip anchored in Gulf of Hormuz

VIDEO: હોર્મુઝની ખાડીમાં ગોળીબારનો ભોગ બનેલું ભારતીય ઓઇલ ટેન્કર પારાદીપ બંદરે લાંગર્યું

Timeછેલ્લું અપડેટ : 03 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ઇરાકથી લગભગ ૨૦ લાખ બેરલ ક્રૂડ ઓઇલ લઈ ભારત આવતા જહાજ પર ગોળીબારનો સનસનીખેજ મામલો સામે આવ્યો છે. એમટી સેનમાર હેરલ્ડ નામનું આ ઓઇલ ટેન્કર હોર્મુઝની ખાડીમાં ઇરાની જળવિસ્તારમાં હુમલાની ઝપેટમાં આવી ગયું હતું. તેના પર મોટાપાયા પર ગોળીઓ છોડતાં તેને નુકસાન થયું હતું. જો કે ચાલકદળની સૂઝબૂઝથી જહાજ હોર્મુઝની ખાડી સફળતાપૂર્વક પાર કરી ગયું હતું.

App Store

સૌથી મોટી રાહત આપનારી વાત એ હતી કે તેમા કોઈ જાનહાનિ થઈ ન હતી. આ જહાજ પર ઇરાકનું બસરા હેવી ક્રૂડ અને બસરા હેવી ક્રૂડ ઓઇલ ટેન્કર લદાયેલું છે. હવે આ ટેન્કર ઇરાની જળવિસ્તારમાંથી પસાર થઈ રહ્યુ હતુ ત્યારે તેના પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ દરમિયાન ગોળીઓના છરા વાગતા જહાજના નિયંત્રણ કક્ષને નુકસાન થયું છે.
આ હુમલાના પગલે તરત જ જહાજ અને તેમા સવાર લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખતા ક્રૂએ તેનો રુટ બદલી કાઢ્યો. જહાજમાં કેપ્ટન સહિત કુલ ૨૨ ક્રૂ મેમ્બર સવાર હતા. રુટ બદલ્યા પછી જહાજ બીજા કોઈપણ ભયનો સામનો કર્યા વગર ભારતીય કિનારે લાંગરવામાં સફળ રહ્યું.

ઇઝરાયેલે સ્પષ્ટ કરી દીધું છે કે તેણે નો રિટર્ન પોલિસી અપનાવી છે. આ પોલિસી હેઠળ તે હવે તેના પર હુમલો થયો હોય તે વિસ્તાર પરથી કબ્જો કે અંકુશ છોડશે નહી. અગાઉ તેણે આ વિસ્તારો છોડયા હતા, પરંતુ તેના પછી તેના પર હુમલા બંધ થયા નથી. આ સંજોગોમાં ઇઝરાયેલ ગાઝા, લેબનોન અને સીરિયા જ્યાંથી તેના પર હુમલા થયા છે તેમા એક પણ સ્થળેથી તેનું લશ્કર પરત હટશે નહી. આમ તણે ઇરાનને સ્પષ્ટ જવાબ આપી દીધો છે. જો ઇરાન આના બદલામાં અમારા પર હુમલો કરશે તો અમે પણ તેનો પર સીધો હુમલો કરીશું એમ ઇઝરાયેલે જણાવ્યું હતું.

ઇરાનના પૂર્વ સુપ્રીમ લીડર આયતુલ્લાહ અલી ખામેનેઈના અંતિમ સંસ્કારમાં ભારત તરફથી બિહારના ગવર્નર સૈયદ અતા હસનૈન, કેન્દ્રીય રાજ્યમંત્રી પવિત્ર માર્ગારેટા, કોંગ્રેસ નેતા સલમાન ખુરશીદ, પીડીપી પ્રમુખ મહબુબા મુફતી અને જૈન મુનિ આચાર્ય લોકેશ સહિત કેટલાય ભારતીય પ્રતિનિધિ જશે. ઇરાને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીને આમંત્રણ મોકલ્યું છે, પરંતુ તે જશે કેનહી તે સુનિશ્ચિત નથી.

પારાદીપ પોર્ટ ઓથોરિટીએ સોશિયલ મીડિયા પર જાણકારી આપી છે કે એમટી સન્માન હેરાલ્ડ સતત ભારતીય નૌકાદળ સાથેના તાલમેળમાં કામ કરી રહ્યું હતું. હોર્મુઝમાં થયેલા ગોળીબારના કારણે નુકસાન સહન કરવા છતાં જહાજ પહેલી જુલાઈના રોજ સવારે સાડા અગિયાર વાગ્યે સુરક્ષિત રીતે ભારતના પારાદીપ બંદરે પહોંચી ગયું હતું. હાલમાં તો કેપ્ટન અને ક્રૂ કાર્ગો ઉતારવામાં લાગેલા છે. તેમના તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

યુદ્ધગ્રસ્ત અને ખતરનાક વિસ્તારમાંથી જહાજને સલામત રીતે લાવવા બદલ પારાદીપ બોર્ડે ક્રૂના સભ્યોની પ્રશંસા કરી હતી. પોર્ટ ઓથોરિટીએ જણાવ્યું હતું કે આ આખી ઘટનામાં માસ્ટર અને ક્રૂએ અસાધારણ સાહસ, વ્યવસાયિક અભિગમ અને સુરક્ષા પ્રત્યે પ્રતિબદ્ધતા દર્શાવી છે. હોર્મુઝમાં હાલમાં રોજના પાંત્રીસેક જહાજ પસાર થાય છે, ગઇકાલે ૩૪ જહાજ પસાર થયા હતા.