અટારી-વાઘા બોર્ડર પર ભારતીય સૈન્યનું પરાક્રમ અને દેશભક્તિનો માહોલ!
સોર્સ : gstv
પંજાબમાં આવેલી અટારી-વાઘા બોર્ડર ભારતીય સૈન્યની વીરતા અને દેશભક્તિનું પ્રતિક છે. દરરોજ સાંજે યોજાતી રીટ્રીટ સેરેમનીમાં આપણા જવાનોનો જોશ અને ઉત્સાહ હજારો દેશવાસીઓમાં ગૂસબમ્પ્સ લાવી દે છે. દેશની રક્ષા માટે તૈનાત ભારતીય સેનાના જવાનોનું શૌર્ય અને અનુશાસન અદ્ભુત છે. સરહદ પર બસ એક જ અવાજ ગુંજે છે - ભારત માતા કી જય! આ પવિત્ર ભૂમિ પર સૈનિકોનું સમર્પણ દરેક નાગરિકના હૃદયમાં દેશપ્રેમની ભાવના ઉજાગર કરે છે. અટારી-વાઘા બોર્ડર પર સૈન્યની હાજરી આપણને સુરક્ષા અને ગર્વની અનુભૂતિ કરાવે છે.

