VIDEO: Hemkund Sahib Yatra / શ્રદ્ધાળુઓની સુરક્ષિત યાત્રા માટે ભારતીય સેના સજ્જ; યુદ્ધના ધોરણે બરફ હટાવવાની કામગીરી શરૂ
સોર્સ : GSTV
ઉત્તરાખંડના દેહરાદૂનમાં શ્રી હેમકુંડ સાહિબની યાત્રાને સરળ, સુરક્ષિત અને સુવ્યવસ્થિત બનાવવા માટે ભારતીય સેનાના જવાનો દ્વારા યુદ્ધના ધોરણે બરફ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. પહાડોના પડકારજનક ભૂપ્રદેશ અને પ્રતિકૂળ હવામાનની પરવા કર્યા વગર, સૈનિકો સતત માર્ગ સાફ કરી રહ્યા છે જેથી શ્રદ્ધાળુઓને કોઈ અગવડતા ન પડે. સેનાની આ કપરી મહેનતનો ઉદ્દેશ્ય યાત્રા શરૂ થાય તે પહેલા રસ્તાઓને અવરજવર માટે યોગ્ય બનાવવાનો છે, જેથી ભક્તો કોઈ પણ અવરોધ વિના પવિત્ર ધામના દર્શન કરી શકે. શ્રી હેમકુંડ સાહિબની યાત્રા 23મે 2026થી શરૂ થવાની છે. હેમકુંડ સાહિબ ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં આવેલું છે, સમુદ્ર સપાટીથી લગભગ 4,329 મીટર પર છે.

