VIDEO: ગોરખપુરમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે માનસરોવર મંદિરમાં પૂજા-અર્ચના કરી
સોર્સ : gstv
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગોરખપુર પ્રવાસ દરમિયાન ઐતિહાસિક માનસરોવર મંદિરમાં પહોંચીને વિધિવત પૂજા-અર્ચના કરી હતી. તેમણે ભગવાન શિવનો જલાભિષેક કરીને રાજ્યના નાગરિકોની સુખ, સમૃદ્ધિ અને શાંતિ માટે પ્રાર્થના કરી હતી. મુખ્યમંત્રીના આગમનને પગલે મંદિર પરિસરમાં સુરક્ષાના ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યા હતા. પૂજા અર્ચના કર્યા બાદ તેમણે મંદિર પરિસરની વ્યવસ્થાઓનું નિરીક્ષણ પણ કર્યું હતું અને સ્થાનિક લોકો તથા સાધુ-સંતો સાથે મુલાકાત કરી હતી. ઉલ્લેખનીય છે કે માનસરોવર મંદિર પ્રદેશનું એક મહત્વપૂર્ણ ધાર્મિક સ્થળ છે અને મુખ્યમંત્રી અવારનવાર ગોરખપુર પ્રવાસ દરમિયાન અહીં આવીને શ્રદ્ધા સુમન અર્પિત કરતા હોય છે. તેમના આ ધાર્મિક કાર્યક્રમને પગલે સ્થાનિક શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

