VIDEO: પ્રયાગરાજમાં ગંગા-યમુનાના જળસ્તરમાં ફરી વધારો: લેટે હનુમાન મંદિરના દરવાજા સુધી પાણી પહોંચ્યા
સોર્સ : gstv
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ગંગા અને યમુના નદીના જળસ્તરમાં ફરી એકવાર ચિંતાજનક વધારો નોંધાયો છે. નદીઓમાં પાણીની આવક વધવાને કારણે પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે અને પાણીનું સ્તર સતત ઉપર આવી રહ્યું છે. જળસ્તર વધતા જ નદીના પાણી વિખ્યાત લેટે હનુમાન મંદિરના ઉમરા સુધી પહોંચી ગયા છે. ધાર્મિક દ્રષ્ટિએ આ ઘટનાને પવિત્ર માનવામાં આવે છે, પરંતુ આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં પૂરનું જોખમ વધી જતાં સ્થાનિક તંત્ર અને શ્રદ્ધાળુઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તંત્ર દ્વારા સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

