VIDEO: ઓડિશામાં પૂરનો ભય: 6 લાખથી વધુ લોકોનું સ્થળાંતર, હાઈએલર્ટ જાહેર કરાયું
સોર્સ : gstv
ઓડિશાની મહાનદીમાં સતત વધતા પાણીના સ્તરને કારણે ઉત્તરીય જિલ્લાઓમાં પૂરના ભયને લઈને ઓડિશા સરકાર હાઈ એલર્ટ પર છે. અધિકારીઓએ નીચાણવાળા વિસ્તારોમાં સંભવિત પૂર માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. આજ સુધીમાં પૂરની સ્થિતિએ છ લાખથી વધુ લોકોને અસર કરી છે, જેમાંથી ૧.૬૫ લાખથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદને કારણે તેલ, ઇબ અને જીરા ઉપનદીઓમાં વધેલા પાણીથી મહાનદીનું સ્તર વધી રહ્યું છે. કટક નજીક મુંડાલીમાં પાણી છોડવાનું પ્રમાણ વધીને ૯ લાખ ક્યુસેક થવાની સંભાવના છે, જેના કારણે મધ્યમ પૂરની આશંકા છે. હીરાકુડ ડેમમાં જળસ્તર ૬૨૦ ફૂટ છે. જાજપુરમાં બૈતરાનીની ઉપનદી કાનીમાં પાળ ભાંગવાથી અનેક ગામો ડૂબી ગયા છે....

