VIDEO: "જે કરવું હોય તે સુપ્રીમ કોર્ટમાં કરો!" NEET વિવાદ વચ્ચે ભાજપ પ્રવક્તાના આકરા સવાલોથી મચ્યો હોબાળો
તામિલનાડુ વિધાનસભામાં [NEET પરીક્ષાના વિરોધમાં પસાર કરવામાં આવેલા પ્રસ્તાવ પર તામિલનાડુ ભાજપના પ્રવક્તા નારાયણન તિરૂપતિએ પ્રતિક્રિયા આપતા રાજ્ય સરકાર પર તીખા પ્રહારો કર્યા છે.
માધ્યમો સાથેની વાતચીતમાં તામિલનાડુ ભાજપના પ્રવક્તા નારાયણન તિરૂપતિએ જણાવ્યું હતું કે, "જ્યાં સુધી NEETનો સવાલ છે, તામિલનાડુ સરકાર જે કંઈ પણ કરવા માગે છે તે તેમણે સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂ કરવું જોઈએ, કારણ કે NEET પરીક્ષા માત્ર સુપ્રીમ કોર્ટના નિર્દેશ અને માર્ગદર્શન હેઠળ જ અમલમાં મૂકવામાં આવી છે. વર્ષો પહેલા જ્યારે તામિલનાડુમાં NEET દાખલ કરવામાં આવી હતી, ત્યારે કેન્દ્ર સરકારે પણ સુપ્રીમ કોર્ટમાં જઈને તામિલનાડુને વધુ એક વર્ષની છૂટ આપવા સમર્થન આપ્યું હતું, પરંતુ સુપ્રીમ કોર્ટે તેને ફગાવી દીધું હતું."
NEETના ફાયદાઓ ગણાવતા નારાયણન તિરૂપતિએ સવાલ ઉઠાવ્યો હતો કે, "NEET લાગુ થયા પહેલાં સરકારી શાળાઓના કેટલા વિદ્યાર્થીઓ મેડિકલ શિક્ષણ માટે ક્વોલિફાય થતા હતા? અને છેલ્લાં સાત-આઠ વર્ષોમાં સરકારી શાળાઓમાંથી દર વર્ષે કેટલા વિદ્યાર્થીઓ મેડિકલ પ્રવેશ મેળવી રહ્યા છે? વાસ્તવિકતા એ છે કે NEET પરીક્ષાએ ગરીબ અને ગ્રામીણ વિસ્તારના શાળાકીય વિદ્યાર્થીઓને મેડિકલ ક્ષેત્રે આગળ વધવામાં મોટી મદદ કરી છે."

