VIDEO: ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમને 21 દિવસનો પેરોલ મળ્યા
સોર્સ : gstv
ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમે હરિયાણાની સુનારિયા જેલમાંથી 21 દિવસના પેરોલ પર બહાર આવ્યા છે. 2020 પછી તેમની આ 17મી કામચલાઉ મુક્તિ છે. બળાત્કારના કેસમાં 20 વર્ષની સજા ભોગવી રહેલા રામ રહીમને આ વખતે ઉત્તર પ્રદેશના બાગપતને બદલે સિરસા સ્થિત મુખ્યાલય જવાની પરવાનગી આપવામાં આવી છે. તેમની વારંવારની મુક્તિ રાજકીય અને જાહેર ચર્ચાનું કેન્દ્ર રહી છે, ખાસ કરીને હરિયાણા અને પંજાબમાં તેમના મોટા અનુયાયીઓ અને આગામી ચૂંટણીઓના સંદર્ભમાં આ બાબત વિશેષ ધ્યાન ખેંચી રહી છે.

