Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Dera Sacha Sauda chief Ram Rahim back out of jail,

રામ રહીમ ફરી જેલમાંથી આવ્યો બહાર, બે સાધ્વી પર બળાત્કારના આરોપી ડેરા સચ્ચા સૌદાના વડાને મળ્યા 21 દિવસના ફર્લો 

Timeછેલ્લું અપડેટ : 13 Aug 2024
લાઇવ ટીવીGoogle News
રામ રહીમ ફરી જેલમાંથી આવ્યો બહાર, બે સાધ્વી પર બળાત્કારના આરોપી ડેરા સચ્ચા સૌદાના વડાને મળ્યા 21 દિવસના ફર્લો 

ડેરા સચ્ચા સૌદાના વડા અને બળાત્કાર કેસના દોષી ગુરમીત રામ રહીમ સિંહને 21 દિવસની ફર્લો રજા આપવામાં આવી છે. 'ફર્લો' મળ્યા બાદ તે મંગળવારે સવારે 6.30 વાગ્યે જેલમાંથી બહાર આવ્યો હતો. રામ રહીમ હરિયાણાના રોહતક જિલ્લામાં સ્થિત સુનારિયા જેલમાં બંધ હતો. રામ રહીમ આજે સવારે 6.30 વાગ્યે પોલીસ સુરક્ષા હેઠળ જેલમાંથી મુક્ત થયો હતો. રામ રહીમને જેલમાંથી લેવા માટે આશ્રમની બે ગાડીઓ આવી હતી. માહિતી અનુસાર, 'ફર્લો' દરમિયાન રામ રહીમ યુપીના બાગપત આશ્રમમાં રહેશે. રામ રહીમ પોતાની બે શિષ્યા પર બળાત્કાર અને હત્યાના કેસમાં 2017થી જેલમાં છે. તેને 20 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે.

App Store

આ કેસમાં રામ રહીમને કોર્ટમાંથી મોટી રાહત મળી છે

આ પહેલીવાર નથી જ્યારે રામ રહીમને જેલમાંથી ફર્લો મળ્યો હોય. આ પહેલા તે 9 વખત જેલમાંથી બહાર આવ્યો હતો. આ દસમી વખત છે જ્યારે તેને જેલમાંથી ફર્લો આપવામાં આવ્યો છે. આ વર્ષે 19 જાન્યુઆરીએ જ્યારે રામ રહીમ જેલમાંથી બહાર આવ્યા ત્યારે શિરોમણી ગુરુદ્વારા પ્રબંધન સમિતિએ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં રામ રહીમને પેરોલ આપવાના વિરોધમાં અરજી દાખલ કરી હતી. આ અરજી પર સુનાવણી કરતી વખતે હાઈકોર્ટે હરિયાણાની ભાજપ સરકારને રામ રહીમને પેરોલ આપતા પહેલા હાઈકોર્ટની પરવાનગી લેવા કહ્યું છે. જે બાદ ગુરમીત રામ રહીમને મોટી રાહત આપતા પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક કમિટી (SGPC) દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીનો નિકાલ કર્યો છે, જેમાં ડેરા પ્રમુખને પેરોલ અથવા ફર્લો પર મુક્ત ન કરવાની સૂચના આપવામાં આવી હતી. હાઈકોર્ટે સ્પષ્ટતા કરી છે કે રાજ્ય સરકાર આવા મુદ્દાઓ પર નિર્ણય લેવા સક્ષમ છે. રસપ્રદ વાત એ છે કે, હરિયાણા સરકારે હાઈકોર્ટને પહેલેથી જ કહ્યું છે કે ડેરા વડા કાયદાકીય જોગવાઈ મુજબ પેરોલ અને ફર્લો માટે હકદાર છે.

જ્યારે પણ ચૂંટણી હોય છે ત્યારે બાબા જેલની બહાર હોય છે.

હરિયાણામાં ચૂંટણી નાની હોય કે મોટી, ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમ સિંહ ચોક્કસથી સમાચારોમાં રહે છે. આ વખતે હરિયાણા વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આવી સ્થિતિમાં રામ રહીમને ફરી એકવાર પેરોલ પર જેલની બહાર મોકલી દેવામાં આવ્યો છે. આ વખતે રામ રહીમ 21 દિવસ માટે પેરોલ પર બહાર છે. હરિયાણાના નવ જિલ્લાની લગભગ ત્રણ ડઝન વિધાનસભા સીટો પર ડેરા કેમ્પનું સંપૂર્ણ નિયંત્રણ છે. હરિયાણામાં 15 થી 20 લાખ અનુયાયીઓ ડેરા સાથે જોડાયેલા છે, જેઓ નિયમિત સત્સંગ કરે છે. આવી સ્થિતિમાં દરેક રાજકીય પક્ષ ડેરાની શક્તિને સમજે છે. સિરસા, હિસાર, ફતેહાબાદ, કૈથલ, જીંદ, અંબાલા, યમુનાનગર અને કુરુક્ષેત્ર એવા જિલ્લા છે જ્યાં ડેરા સચ્ચા સૌદાનો સીધો પ્રભાવ છે.