VIDEO: સહાયક પ્રાધ્યાપક ભરતીના નિયમો મુદ્દે ચિરાગ પાસવાને CM ને લખ્યો પત્ર
સોર્સ : gstv
કેન્દ્રીય મંત્રી અને લોક જનશક્તિ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ચિરાગ પાસવાને બિહારના મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીને પત્ર લખી સહાયક પ્રાધ્યાપક ભરતી નિયમાવલી-2026 અંગે સવાલો ઉઠાવ્યા છે. ચિરાગ પાસવાને નિયમાવલીને અંતિમ સ્વરૂપ આપતા પહેલાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને નિષ્ણાતોના હિતોની સુરક્ષા કરવી જરૂરી હોવાનું જણાવ્યું છે. તેમણે બિહારની ઉચ્ચ શિક્ષણ વ્યવસ્થાને વધુ મજબૂત અને પારદર્શક બનાવવાની સાથે વર્ષોથી વિવિધ યુનિવર્સિટીઓમાં સેવા આપતા ગેસ્ટ શિક્ષકોના અનુભવ અને ભવિષ્યને પણ સુરક્ષિત રાખવાની માંગ કરી છે. શિક્ષકો અને વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવા અપીલ કરતાં ચિરાગ પાસવાને પોતાના પત્રમાં કુલ છ માંગણીઓ રજૂ કરી છે. હવે સહાયક પ્રાધ્યાપક ભરતીના નિયમોને લઈને સરકાર શું નિર્ણય લે છે તેના પર શિક્ષકો અને વિદ્યાર્થીઓની નજર છે.

