VIDEO: કેન્દ્ર સરકારે એલપીજી સિલિન્ડર રિફિલ બુકિંગ વચ્ચેનું લઘુત્તમ અંતર ૪૫ દિવસથી ઘટાડીને ૨૫ દિવસ કર્યું
સોર્સ : gstv
કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ રાજ્યમંત્રી સુરેશ ગોપીએ જણાવ્યું કે સરકારે ઘરેલુ એલપીજી સિલિન્ડર રિફિલ બુક કરવા માટેનો સમયગાળો ૪૫ દિવસથી ઘટાડીને હવે ૨૫ દિવસ કરી દીધો છે. આ નવો ૨૫ દિવસનો નિયમ શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારોના તમામ ઘરેલુ ગ્રાહકોને એકસમાન લાગુ પડશે. પેટ્રોલિયમ મંત્રાલયે સરકારી તેલ માર્કેટિંગ કંપનીઓને આ આદેશ તાત્કાલિક અસરથી અમલમાં મૂકવા નિર્દેશ આપ્યો છે. અગાઉ ફેબ્રુઆરી ૨૦૨૬માં મધ્ય પૂર્વના સંઘર્ષને કારણે પુરવઠાનું દબાણ ઘટાડવા વિવિધ અંતરાલ રજૂ કરાયા હતા, જેને હવે સુધારીને ગ્રાહકોને મોટી રાહત અપાઈ છે.

