VIDEO: ગાંદરબલમાં અમરનાથ યાત્રાળુઓની બસ ખાડામાં પડી: ૩૯ ઈજાગ્રસ્ત
સોર્સ : gstv
જમ્મુ-કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં શ્રીનગર-બાલતાલ રોડ પર ગુંડ ગામ પાસે અમરનાથ યાત્રાળુઓને લઈ જતી બસ અકસ્માતમાં ખાડામાં પડી જતાં ૩૯ યાત્રાળુઓ ઈજાગ્રસ્ત થયા છે.પોલીસ સૂત્રોએ જણાવ્યું કે ડ્રાઇવર વળાંક લેવામાં નિષ્ફળ જતાં બસ રસ્તા પરથી લપસીને ખાડામાં પડી ગઈ. બસમાં લગભગ ૪૦ યાત્રાળુઓ સવાર હતા.જમ્મુ-કાશ્મીર પોલીસ, અર્ધલશ્કરી દળો, સેના અને સ્થાનિક સ્વયંસેવકોએ ત્વરિત કાર્યવાહી કરીને ઘાયલોને બચાવ્યા અને નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા. મુખ્યમંત્રીએ ઘટનાની જાણ થતાં ઘાયલ યાત્રાળુઓના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી હતી. તમામ ૩૯ યાત્રાળુઓ હાલ SKIMS હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

