Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Bus of Amarnath pilgrims falls into pit in Ganderbal: 39 injured

VIDEO: ગાંદરબલમાં અમરનાથ યાત્રાળુઓની બસ ખાડામાં પડી: ૩૯ ઈજાગ્રસ્ત

Timeછેલ્લું અપડેટ : 28 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

જમ્મુ-કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં શ્રીનગર-બાલતાલ રોડ પર ગુંડ ગામ પાસે અમરનાથ યાત્રાળુઓને લઈ જતી બસ અકસ્માતમાં ખાડામાં પડી જતાં ૩૯ યાત્રાળુઓ ઈજાગ્રસ્ત થયા છે.પોલીસ સૂત્રોએ જણાવ્યું કે ડ્રાઇવર વળાંક લેવામાં નિષ્ફળ જતાં બસ રસ્તા પરથી લપસીને ખાડામાં પડી ગઈ. બસમાં લગભગ ૪૦ યાત્રાળુઓ સવાર હતા.જમ્મુ-કાશ્મીર પોલીસ, અર્ધલશ્કરી દળો, સેના અને સ્થાનિક સ્વયંસેવકોએ ત્વરિત કાર્યવાહી કરીને ઘાયલોને બચાવ્યા અને નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા. મુખ્યમંત્રીએ ઘટનાની જાણ થતાં ઘાયલ યાત્રાળુઓના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી હતી. તમામ ૩૯ યાત્રાળુઓ હાલ SKIMS હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

App Store