VIDEO: ભાગલપુરના નૌગછિયામાં બોટ પલટી, બે કામદારો લાપતા
સોર્સ : gstv
બિહારના ભાગલપુરના નૌગછિયામાં તટબંધના સમારકામ દરમિયાન કામદારોને લઈ જતી બોટ પલટી ગઈ છે. બોટ પલટી જતાં બે કામદારો લાપતા થયા હોવાની માહિતી છે. ઘટનાની જાણ થતાં જ બચાવ અને શોધખોળ કામગીરી શરૂ કરવામાં આવી છે. રેસ્ક્યૂ ટીમો દ્વારા લાપતા બંને કામદારોની શોધખોળ હાથ ધરાઈ રહી છે. તટબંધ સમારકામ દરમિયાન બનેલી આ ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી છે.

