VIDEO: અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટમાં મોટો ફેરફાર, ગોવિંદ દેવ ગિરી મહાસચિવ બન્યા
સોર્સ : gstv
અયોધ્યામાં રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની વ્યવસ્થામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. બુધવારે યોજાયેલી બેઠકમાં અત્યાર સુધી ખજાનચીની જવાબદારી સંભાળતા ગોવિંદ દેવ ગિરીને નવા મહાસચિવ બનાવવામાં આવ્યા છે. જ્યારે દિલ્હીના ઉદ્યોગપતિ મહેશ ભાગચંદકાને નવા ખજાનચી તરીકે પસંદ કરવામાં આવ્યા છે. ચંપત રાય અને અનિલ મિશ્રાના હટ્યા બાદ તથા વિમલેન્દ્ર મોહનના નિધનથી ખાલી થયેલી ત્રણ જગ્યાઓ પર નવા સભ્યોની નિમણૂક કરવામાં આવી છે. બેઠક બાદ કાર્યકારી મહાસચિવ ડૉ. કૃષ્ણ મોહને આ નિર્ણયો અંગે માહિતી આપી હતી.

