VIDEO: રૂ.21 હજાર સુધીના પગારદારોને બોનસનો લાભ, કેન્દ્રની નવી જોગવાઈ
સોર્સ : gstv
કેન્દ્ર સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલયના નવા નોટિફિકેશન મુજબ, કેટલીક શરતો હેઠળ મહિને રૂ.21 હજાર સુધીનો પગાર મેળવતા કર્મચારીઓને બોનસનો લાભ મળી શકશે. આવા કર્મચારીઓને બોનસ આપવાનું નિયોક્તા માટે ફરજિયાત રહેશે. જોકે, રૂ.21 હજારથી વધુ પગાર ધરાવતા કર્મચારીઓ માટે બોનસ આપવું ફરજિયાત રહેશે નહીં. નિયમ મુજબ કર્મચારીએ વર્ષ દરમિયાન ઓછામાં ઓછા 30 દિવસ કામ કર્યું હોવું જરૂરી છે. નવી જોગવાઈથી પાત્ર કર્મચારીઓને બોનસનો લાભ મળવાનો માર્ગ સરળ બનશે. પાત્ર કર્મચારીઓને મળનારા વાર્ષિક બોનસની રકમ ઓછામાં ઓછી 8.33 ટકા અને વધુમાં વધુ 20 ટકા સુધી હોઈ શકે છે

