કોલ્ડ્રિંક કફ સિરપ સામે પ્રતિબંધ: મધ્યપ્રદેશમાં બાળકોના મોત બાદ મમતા સરકારનો મોટો નિર્ણય

પશ્ચિમ બંગાળ કેમિસ્ટ્સ એન્ડ ડ્રગિસ્ટ્સ એસોસિયેશન (BCDA) એ રાજ્યમાં કોલ્ડ્રિંફ કફ સિરપના વેચાણ અને ખરીદીને તાત્કાલિક ધોરણે રોકવાનો નિર્દેશ આપ્યો છે. આ સૂચના ગુરુવારે તમામ છૂટક અને જથ્થાબંધ દવા વિક્રેતાઓને જારી કરવામાં આવી છે. મધ્ય પ્રદેશમાં આ સિરપનું સેવન કરવાથી કથિત રીતે અનેક બાળકોના મૃત્યુ થયાના અહેવાલો બાદ તકેદારીના પગલાં તરીકે આ કાર્યવાહી કરવામાં આવી છે.
સિરપમાં ઝેરી રસાયણોની શંકા
BCDAના સચિવ પૃથ્વી બસુએ જણાવ્યું હતું કે, આ કાર્યવાહી નિવારક પગલાંના ભાગરૂપે કરવામાં આવી છે. જોકે, તેમણે સ્પષ્ટતા કરી હતી કે મધ્ય પ્રદેશ સાથે પ્રિન્સિપાલ ડો. જયદેબ રોયે આંતરિક તારણોનો હવાલો આપતા જણાવ્યું છે કે, સિરપમાં ડાઇએથિલીન ગ્લાયકોલ અને એથિલીન ગ્લાયકોલની હાજરી હોવાની શંકા છે. આ બંને રસાયણો કિડનીને તીવ્ર નુકસાન (Acute Kidney Damage) પહોંચાડવા માટે જાણીતા છે. નોંધનીય છે કે, આ પ્રકારની ઘટના પ્રથમ વખત બની નથી.
તંત્ર દ્વારા અપાયા નિર્દેશ
રિપોર્ટ્સ સૂચવે છે કે, વિવાદિત કફ સિરપમાં પ્રોપીલીન ગ્લાયકોલ, ગ્લિસરીન અને સોર્બિટોલ જેવા રસાયણો હોય છે. આ ઘટના બાદ, પશ્ચિમ બંગાળ રાજ્ય ઔષધિ નિયંત્રણ બોર્ડે સખત પગલાં લીધા છે. બોર્ડે દવા ઉત્પાદકોને સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે સિરપ બનાવવા માટે આ તમામ સામગ્રી ફક્ત મંજૂર (Approved) વિક્રેતાઓ પાસેથી જ ખરીદવામાં આવે. આ સાથે જ, આ સામગ્રીઓને સર્ટિફાઇડ લેબમાં ટેસ્ટ કરાવવી પડશે અને તેનો રિપોર્ટ લાઇસન્સિંગ ઓથોરિટીને જમા કરાવવો ફરજિયાત છે.
ડોક્ટરી સલાહ વિના બાળકોને દવા આપવી જોખમી
બાળરોગ નિષ્ણાતો ભારપૂર્વક ચેતવણી આપે છે કે, કફ સિરપનો મનસ્વી ઉપયોગ બાળકો માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. ડૉક્ટરે જણાવ્યું હતું કે, સિરપના કારણે કફ પાતળો થઈ જાય તો પણ નાના બાળકો ઘણીવાર તેને બહાર કાઢી શકતા નથી. ડોક્ટરની સલાહ વિના આવી દવાઓ આપવી જીવલેણ બની શકે છે. તેમણે ઇન્ટરનેટ પર સર્ચ કરીને કે અન્યના કહેવાથી દવા ખરીદવાના વધતા વલણને પણ ગંભીર ચિંતાનો વિષય ગણાવ્યો છે.

