VIDEO: તમિલનાડુના મંદિરોમાં મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ અમલી
સોર્સ : gstv
તમિલનાડુના કાંચીપુરમ સહિત સમગ્ર રાજ્યમાં હિન્દુ ધાર્મિક અને ધર્માદા એન્ડોવમેન્ટ્સ વિભાગ દ્વારા મંદિરોની પવિત્રતા, શ્રદ્ધાળુઓની સુરક્ષા અને નિજતા જાળવવા માટે પરિસરમાં મોબાઈલ ફોન લઈ જવા પર મૂકાયેલો પ્રતિબંધ આજથી અમલી બન્યો છે. મદ્રાસ હાઈકોર્ટના નિર્દેશો બાદ લેવાયેલા આ નિર્ણય મુજબ, શ્રદ્ધાળુઓ હવે કાંચીપુરમના સુપ્રસિદ્ધ કમાક્ષી અમ્માન અને એકામ્બરેશ્વર મંદિર સહિત રાજ્યના તમામ મુખ્ય મંદિરોના ગર્ભગૃહ કે પરિસરમાં ફોન ઉપયોગ કરી શકશે નહીં. ભક્તોની સુવિધા માટે મંદિરના પ્રવેશદ્વારો પર મોબાઈલ ફોન જમા કરાવવા માટે ફ્રી કાઉન્ટર અને ક્લોક રૂમની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આ નિયમનો કડક અમલ સુનિશ્ચિત કરવા માટે સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે, જેથી ભક્તો કોઈ પણ ખલેલ વગર શાંતિપૂર્ણ વાતાવરણમાં દર્શન અને પૂજા-અર્ચના કરી શકે.

