VIDEO: પશ્ચિમ એશિયામાં તણાવ વચ્ચે પીએમ મોદીએ નાગરિકોને ઇંધણનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવાની કરી અપીલ
સોર્સ : GSTV
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંકટ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેલંગાણામાં એક જનસભાને સંબોધન કરતી વખતે નાગરિકોને પેટ્રોલિયમ પેદાશોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા વિનંતી કરી હતી. તેમને ઇંધણના વપરાશમાં સંયમ રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો, કારણ કે ભારત મોટાભાગે ઇંધણની આયાત કરે છે. આજની જરૂરિયાત એ છે કે આપણે પેટ્રોલ, ગેસ અને ડીઝલનો ઉપયોગ જરૂરિયાત મુજબ જ કરીએ. તેમની આ ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે ભારત ચાલુ યુએસ-ઈરાન યુદ્ધને કારણે ઊર્જા સંકટનો સામનો કરી રહ્યું છે.

