VIDEO: PM મોદીએ તેલંગાણામાં 9 હજાર 400 કરોડના વિકાસલક્ષી પ્રોજેક્ટોનું લોકર્પણ કર્યું
સોર્સ : gstv
વડાપ્રધાન મોદીએ તેલંગાણામાં લગભગ 9 હજાર 400 કરોડ રૂપિયાના અલગ અલગ વિકાસલક્ષી પ્રોજેક્ટનું ઉદ્ઘઘાટન અને શિલાન્યાસ કર્યો. આ પ્રસંગે તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર તેલંગાણાના દરેક પરિવારની આકાંક્ષાઓ પૂરી કરવા માટે સતત કામ કરશે. પીએમ મોદીએ જણાવ્યું કે છેલ્લા 11 વર્ષમાં તેલંગાણામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગો બમણા થયા છે અને રેલ્વે બજેટમાં નોંધપાત્ર વધારો થયો છે. તેમણે હૈદરાબાદ-પણજી આર્થિક કોરિડોર, ઝહીરાબાદ ઔદ્યોગિક વિસ્તાર, વારંગલ પીએમ મિત્રા પાર્ક અને સિંધુ હોસ્પિટલ જેવા મહત્વના પ્રોજેક્ટનું ઉદ્ઘઘાટન કર્યું. આ પ્રોજેક્ટથી ઔદ્યોગિક વિકાસ અને હજારો રોજગારીની તકો ઉભી થશે

