VIDEO: બદ્રીનાથ મંદિરમાં દાનચોરીના આક્ષેપો
સોર્સ : GSTV
ઉત્તરાખંડના પવિત્ર ધામ બદ્રીનાથ મંદિરનું સંચાલન કરતી બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિ (BKTC) વિવાદોના ઘેરાવામાં આવી છે. મંદિર પ્રશાસન પર દાનપેટીમાંથી રોકડ રકમ અને મૂલ્યવાન વસ્તુઓની ચોરી થવાના ગંભીર આક્ષેપો લાગ્યા છે. આ ઘટનાને પગલે દેશભરના શ્રદ્ધાળુઓ અને સ્થાનિક હકોકધારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વિપક્ષો અને સામાજિક સંગઠનો દ્વારા સમગ્ર મામલાની ઉચ્ચ સ્તરીય અને નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરવામાં આવી રહી છે.

