Learjet 45 ક્રેશમાં અજિત પવારનું અવસાન: આ જ પ્લેનથી 200 અકસ્માતો, છતાં આ ચાર્ટર્ડ વિમાન લોકપ્રિય

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું બુધવારે સવારે વિમાન દુર્ઘટનામાં અવસાન થયું. પુણેના બારામતી જિલ્લામાં જ્યારે પવાર ચાર્ટર્ડ પ્લેનમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે તે ક્રેશ થયું. આ ચાર્ટર્ડ પ્લેન છે, તેમાં ફક્ત 6 થી 8 લોકોની બેઠક ક્ષમતા છે. આ પહેલી વાર નથી જ્યારે આ અકસ્માતમાં સામેલ વિમાન ક્રેશ થયું હોય. વિશ્વભરમાં આવા લગભગ 200 અકસ્માતો થયા છે. આજે તમને આ ચાર્ટર્ડ પ્લેન બનાવનાર કંપની અને તેની ખાસ સુવિધાઓ વિશે જણાવશું.
અજિત પવાર જે ચાર્ટર્ડ પ્લેનમાં મુસાફરી કરી રહ્યા હતા તે લિયરજેટ બિઝનેસ જેટ હતું. આ કંપનીની સ્થાપના 1960માં કેનેડિયન ઉદ્યોગપતિ વિલિયમ પોવેલ લીયર દ્વારા કરવામાં આવી હતી. આ વિમાન બોમ્બાર્ડિયર એરોસ્પેસ (કેનેડા)ની માલિકીનું છે. જોકે કંપનીએ 2021માં ઉત્પાદન બંધ કરી દીધું હતું, તેમ છતાં હાલના વિમાનોની સર્વિસ અને જાળવણી ચાલુ છે. લિયરજેટ તેના ચાર્ટર્ડ એરક્રાફ્ટ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. અજિત પવાર જે વિમાનમાં મુસાફરી કરી રહ્યા હતા તે લિયરજેટ 45 મોડેલનું છે.
આ વિમાનની વિશેષતા શું છે?
લિયરજેટ 45 મોડેલની ટોચની ગતિ 860 કિલોમીટર પ્રતિ કલાક છે, જ્યારે તેની ક્રુઝ ગતિ લગભગ સમાન છે. તેની રેન્જ 1,900થી 2,200 નોટિકલ માઇલ અથવા આશરે 3,500થી 4,000 કિલોમીટર છે. આનો અર્થ એ છે કે તે એક જ ફ્લાઇટમાં આશરે 4,000 કિલોમીટર મુસાફરી કરી શકે છે. વધુમાં તેની જમીનથી હવામાં ઝડપ પણ ઘણી વધારે છે. આ ચાર્ટર્ડ વિમાન ફક્ત 18થી 20 મિનિટમાં 41,000 ફૂટની ઊંચાઈએ પહોંચી શકે છે.

