પુખ્ત યુગલો પરિણીત ન હોય તો પણ સાથે રહી શકે છે: HC

અલ્હાબાદ હાઈકોર્ટે બે અલગ અલગ ધર્મોના પુરુષ-સ્ત્રી યુગલ(couple of different religions) અંગે એક મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. બંને સાથે રહેવાના કેસમાં કોર્ટે કહ્યું કે બંધારણ હેઠળ, પુખ્ત યુગલ(Adult couples) પરિણીત ન હોય તો પણ સાથે રહી શકે છે.
સવા વર્ષની બાળકી વતી અરજી દાખલ કરવામાં આવી
દંપતીને જન્મેલી બાળકી દ્વારા દાખલ કરવામાં આવેલી રિટ અરજી પર સુનાવણી કરતા જસ્ટિસ શેખર બી. સરાફ અને જસ્ટિસ વિપિન ચંદ્ર દીક્ષિતની બેન્ચે કહ્યું, 'આ છોકરીના માતા-પિતા અલગ અલગ ધર્મના(different religions) છે અને 2018 થી સાથે રહે છે. આ છોકરી એક વર્ષ અને ચાર મહિનાની છે.' દંપતીને છોકરીના અગાઉના સાસરિયાઓ તરફથી ખતરાની શક્યતા છે.
બંનેને લગ્ન કર્યા વિના સાથે રહેવાનો અધિકાર છે
8 એપ્રિલના પોતાના નિર્ણયમાં, કોર્ટે કહ્યું, "અમારા મતે, બંધારણ હેઠળ, જે માતા-પિતા પુખ્ત છે તેઓ સાથે રહેવાના હકદાર છે. ભલે તેઓ પરિણીત ન હોય. કોર્ટે સંભલ પોલીસ અધિક્ષકને નિર્દેશ આપ્યો કે જો છોકરીના માતા-પિતા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે, તો તેમની FIR ચંદૌસી પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવે.
કોર્ટે પોલીસ સુરક્ષા વિશે પણ વાત કરી
આ સાથે, કોર્ટે પોલીસ અધિક્ષકને આ પાસાની તપાસ કરવા પણ કહ્યું કે શું કાયદા મુજબ છોકરી અને તેના માતા-પિતાને કોઈ સુરક્ષા પૂરી પાડવાની જરૂર છે.
પતિના મૃત્યુ પછી, મહિલા બીજા વ્યક્તિ સાથે રહેવા લાગી
આ કેસમાં, તેના પતિના મૃત્યુ પછી, મહિલા બીજા પુરુષ સાથે રહેવા લાગી, જેનાથી આ છોકરીનો જન્મ થયો. આ રિટ અરજી બાળકી દ્વારા તેના માતાપિતા વતી બંધારણની કલમ 226 હેઠળ દાખલ કરવામાં આવી હતી. છોકરીના માતા-પિતાએ દલીલ કરી હતી કે પોલીસ તેમની એફઆઈઆર નોંધવા તૈયાર નહોતી અને જ્યારે પણ તેઓ FIRનોંધવા માટે પોલીસ સ્ટેશન જતા ત્યારે તેમની સાથે દુર્વ્યવહાર થતો હતો.

