VIDEO: અભિજીત દિપકેની ફરી આંદોલનની ચિમકી, જાણો શા માટે CJPએ અપનાવ્યું આકરું વલણ
સોર્સ : gstv
અભિજીત દિપકેનું સોશિયલ મીડિયા પર મોટું નિવેદન
આ મુદ્દે પોતાના અધિકૃત એક્સ હેન્ડલ પર પોસ્ટ કરીને અભિજીત દિપકે ટ્વિટ કર્યું છે કે, 'જો પોલીસ દ્વારા વિદ્યાર્થીઓને હેરાન કરવાનું ચાલુ રહેશે, તો કોકરોચ જનતા પાર્ટી ટૂંક સમયમાં જ મોટા પાયે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરશે. સરકારે વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરવાનું અને તેમની સામે 'વિચ-હંટિંગ' (અન્યાયી કાર્યવાહી) કરવાનું બંધ કરવું જોઈએ.'
વિરોધ પ્રદર્શન અને વિદ્યાર્થીઓની સુરક્ષા પર ભાર
અભિજીત દિપકે એ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે, સરકાર અને પોલીસ પ્રશાસન દ્વારા આંદોલન કરી રહેલા યુવાનો અને વિદ્યાર્થીઓને પજવવાનું તરત જ બંધ કરવામાં આવે. જો પોલીસ તરફથી અન્યાયી પગલાં ચાલુ રહેશે, તો પક્ષ શાંતિપૂર્ણ માર્ગે જઈને પણ ઉગ્ર વિરોધ નોંધાવવા માટે મજબૂર બનશે.

