VIDEO: EDના દરોડા અને ભાજપની નીતિઓ સામે AAP નેતાઓએ કર્યું ઉગ્ર વિરોધ પ્રદર્શન
સોર્સ : GSTV
જલંધરના શાસ્ત્રી ચોક ખાતે આમ આદમી પાર્ટી દ્વારા કેન્દ્ર સરકાર વિરુદ્ધ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પંજાબ કેબિનેટ મંત્રી મહિન્દર ભગત અને ધારાસભ્ય ઇન્દરજીત કૌર માન ની આગેવાનીમાં યોજાયેલા આ પ્રદર્શનમાં ભાજપ પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા.આપ નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે ભાજપ સરકાર રાજકીય કિન્નાખોરી રાખીને પંજાબમાં AAP નેતાઓને નિશાન બનાવી રહી છે અને ED ના દરોડા પાડીને તેમને હેરાન કરવામાં આવી રહ્યા છે. કાર્યકર્તાઓએ કેન્દ્ર સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને દરોડાની આ કાર્યવાહીને લોકશાહી વિરોધી ગણાવી હતી. આ વિરોધ પ્રદર્શનના દ્રશ્યોમાં મોટી સંખ્યામાં સમર્થકો રસ્તા પર ઉતરી આવેલા જોવા મળ્યા હતા, જેના કારણે વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

