VIDEO: મહારાષ્ટ્રની રાજનીતિમાં મોટા ફેરફારના સંકેત!
સોર્સ : gstv
ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના સાંસદ સંજય રાઉતે દાવો કર્યો છે કે આગામી એક-બે મહિનામાં કેન્દ્રમાં મંત્રીમંડળ વિસ્તરણ અથવા ફેરબદલ થાય તો મહારાષ્ટ્રની રાજનીતિમાં પણ મોટા ફેરફારો થઈ શકે છે. રાઉતના જણાવ્યા મુજબ દેવેન્દ્ર ફડણવીસને કેન્દ્રમાં મહત્વની જવાબદારી સોંપવામાં આવી શકે છે. અને રાજ્યમાં ભાજપના કોઈ વરિષ્ઠ નેતાને મુખ્યમંત્રી બનાવવામાં આવી શકે છે. નાગપુરમાં 'રામ રક્ષા આંદોલન'ની તૈયારીઓ દરમિયાન તેમણે આ નિવેદન આપ્યું હતું. જોકે, તેમણે પોતાના દાવા માટે કોઈ ચોક્કસ આધાર કે સંભવિત નેતાનું નામ જાહેર કર્યું નથી. હાલ આ નિવેદન બાદ મહારાષ્ટ્રની રાજનીતિમાં ચર્ચાઓ તેજ બની છે.

