VIDEO: ઓડિશામાં પૂરથી 9.40 લાખ લોકો અસરગ્રસ્ત, રૂ.1,000 કરોડનું રાહત પેકેજ
સોર્સ : gstv
દેશમાં સૌથી વધુ પૂરગ્રસ્ત રાજ્યોમાં સામેલ ઓડિશામાં અત્યાર સુધીમાં અંદાજે 9.40 લાખ લોકો પૂરથી અસરગ્રસ્ત થયા છે અને અનેક ગામો પાણીમાં ગરકાવ થયા છે. મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ પૂરગ્રસ્ત વિસ્તારોની સમીક્ષા કર્યા બાદ સૌથી વધુ અસરગ્રસ્ત છ જિલ્લાઓ માટે રૂ.1,000 કરોડના રાહત પેકેજની જાહેરાત કરી છે. બાલાસોર, ભદ્રક, જાજપુર, મયૂરભંજ, કેઓંઝર અને કેન્દ્રાપડા જિલ્લાઓમાં થયેલા નુકસાનની ભરપાઈ માટે આ રાહત રકમનો ઉપયોગ કરવામાં આવશે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે અસરગ્રસ્ત લોકોને રાહત અને નુકસાનની ભરપાઈ માટે જો વધુ રકમની જરૂર પડશે તો તે પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. સરકારની રાહત પેકેજની જાહેરાત વચ્ચે હવે પૂરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને કેટલી ઝડપથી સહાય મળે છે તેના પર સૌની નજર છે.

