VIDEO: ૨૦૧૩ ઝીરામ ઘાટી માઓવાદી હુમલો: એનઆઈએ કોર્ટે ૧૦ આરોપીઓને દોષિત ઠેરવ્યા
સોર્સ : gstv
છત્તીસગઢના બસ્તર જિલ્લાની એનઆઈએ કોર્ટે ૨૦૧૩ના કુખ્યાત ઝીરામ ઘાટી માઓવાદી હુમલા કેસમાં તમામ ૧૦ આરોપીઓને દોષિત જાહેર કર્યા છે. ૨૫ મે ૨૦૧૩ના રોજ થયેલા આ ભીષણ હુમલામાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ નંદ કુમાર પટેલ, મહેન્દ્ર કર્મા, વિદ્યાચરણ શુક્લા સહિત ૨૯ લોકોના મૃત્યુ થયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા. કોર્ટે ૧૦૧ સાક્ષીઓની સુનાવણી બાદ ૧૬ સપ્ટેમ્બરે સજા સંભળાવવાનું નક્કી કર્યું છે, જ્યારે બચાવ પક્ષના વકીલે આ ચૂકાદા વિરુદ્ધ હાઈકોર્ટમાં અપીલ કરવાની જાહેરાત કરી છે.

