Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / હેડલાઇન : Vastu Tips /Thali falling from hand during Puja or breaking the lamp auspicious or inauspicious? Know its signs according to the scriptures

Vastu Tips / પૂજા દરમિયાન હાથમાંથી થાળી પડવી કે દીવો તૂટવો શુભ કે અશુભ? જાણો શાસ્ત્રો અનુસાર તેના સંકેતો

Timeછેલ્લું અપડેટ : 01 Sept 2026
લાઇવ ટીવીGoogle News
Vastu Tips / પૂજા દરમિયાન હાથમાંથી થાળી પડવી કે દીવો તૂટવો શુભ કે અશુભ? જાણો શાસ્ત્રો અનુસાર તેના સંકેતો
સોર્સ : gstv

હિન્દુ ધર્મ અને વાસ્તુશાસ્ત્રમાં પૂજા-અર્ચના દરમિયાન બનતી નાની-મોટી ઘટનાઓને ખાસ સંકેતો તરીકે જોવામાં આવે છે. પૂજા કરતી વખતે કેટલીક વસ્તુઓનું અચાનક પડી જવું કે તૂટી જવું એ ભવિષ્યમાં બનનારી ઘટનાઓ અથવા ઘરમાં રહેલી ઉર્જા તરફ ઈશારો કરે છે. વાસ્તુ મુજબ આવા સંકેતોને અવગણવા ન જોઈએ. ચાલો જાણીએ કે પૂજા સામગ્રી સાથે જોડાયેલી આ ઘટનાઓનો વાસ્તુશાસ્ત્ર મુજબ શું અર્થ થાય છે:

App Store

 મંદિરમાં મૂર્તિનું ખંડિત થવું

વાસ્તુશાસ્ત્ર અનુસાર, જો ઘરમાં કે પૂજાસ્થળે અચાનક કોઈ દેવી-દેવતાની મૂર્તિ તૂટી કે ખંડિત થઈ જાય, તો એવું માનવામાં આવે છે કે પરિવાર પર કોઈ મોટું સંકટ કે મુશ્કેલી આવવાની હતી, જેને ભગવાને પોતાના પર લઈ લીધી છે.

શું કરવું?: ખંડિત મૂર્તિની પૂજા કરવી કે તેને ઘરમાં રાખવી અશુભ માનવામાં આવે છે, કારણ કે તેનાથી ઘરમાં માનસિક અશાંતિ અને નકારાત્મકતા આવી શકે છે. આવી મૂર્તિને આદરપૂર્વક કોઈ પવિત્ર નદી કે જળાશયમાં વિસર્જિત કરી દેવી જોઈએ.

પૂજાનો દીવો તૂટી જવો

પૂજા કરતી વખતે માટી કે ધાતુનો દીવો તૂટી જવો વાસ્તુ મુજબ શુભ સંકેત ગણાતો નથી. તે બનતા કામમાં અડચણો આવવા અથવા પૂજામાં એકાગ્રતાના અભાવનો સંકેત આપે છે.

શું કરવું?: તૂટેલા દીવાને કચરામાં ફેંકવાને બદલે પીપળાના ઝાડ નીચે મૂકી દેવો જોઈએ અથવા જળમાં પધરાવી દેવો જોઈએ. ત્યારબાદ નવો દીવો પ્રગટાવી પૂજા પૂર્ણ કરવી.

પૂજાની થાળી કે પાણીનો લોટો પડી જવો

પૂજા કરતી વખતે હાથમાંથી અચાનક થાળી છટકી જવી કે જળ ભરેલો લોટો ઢોળાઈ જવો એ વાસ્તુ અને જ્યોતિષ મુજબ આર્થિક ખેંચ અથવા પિતૃદોષ સાથે જોડાયેલો સંકેત હોઈ શકે છે.

શું કરવું?: જો આવી કોઈ ભૂલ અજાણતાં થઈ જાય, તો ગભરાયા વગર તરત જ ભગવાન સમક્ષ બે હાથ જોડીને ક્ષમાયાચના કરવી જોઈએ. આ ઉપરાંત ઘરમાં નિયમિત હનુમાન ચાલીસાનો પાઠ કરવો અને જરૂર જણાય તો જ્યોતિષીય માર્ગદર્શન મેળવવું હિતાવહ છે.

નોંધ:-   આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.