Valsad: કરોડો રૂપિયા ગુમાવનાર રોકાણકારોની રેલી પોલીસે અટકાવી, મંજૂરી વગર રેલી કાઢતા પોલીસ દ્વારા કાર્યવાહી

સોર્સ : GSTV
વલસાડની સારણેશ્વર ક્રેડિટ સોસાયટીમાં છેતરપિંડીનો ભોગ બનનારા રોકાણકારોની રેલી પોલીસે અટકાવી હતી. પોતાના ડૂબેલા નાણાં પરત મેળવવા અને ન્યાયની માંગ સાથે રોકાણકારોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે રેલી કાઢી હતી. જોકે, પૂર્વ મંજૂરી વગર રેલી નીકળી હોવાથી વલસાડ શહેર પોલીસે તેને પોલીસ સ્ટેશન પાસે જ અટકાવી દીધી હતી. સિટી પીઆઈ દિનેશ પરમારે રોકાણકારોને સમજાવી મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, પરવાનગી વગર રેલી કાઢવા બદલ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. છેતરપિંડીનો ભોગ બનેલા લોકોનું કહેવું છે કે તેમના કરોડો રૂપિયા ડૂબ્યા છે અને ન્યાય માટે તેઓ આંદોલન કરી રહ્યા છે.

