VIDEO: વડોદરામાં રહેતા ધ્યાન આપે, ટેકનિકલ કામગીરીને કારણે બંધ રહેશે પલાસવાડા ફાટક
સોર્સ : GSTV
વડોદરા-ડભોઇ રેલવે લાઇન પર આવેલું પલાસવાડા ફાટક ટેકનિકલ કામગીરીને કારણે બંધ રહેવાનું છે. રેલવે તંત્ર દ્વારા લેવાયેલા બ્લોકને કારણે 9 એપ્રિલ રાત્રે બાર વાગ્યાથી 10 એપ્રિલ સવારે ચાર વાગ્યા સુધી આ ફાટક પરથી અવર જવર સંપૂર્ણ બંધ રહેશે.
મુસાફરોને હાલાકી ન પડે તે માટે તંત્ર દ્વારા સુવિધા કરાઈ છે. જેમાં વડોદરાથી વાઘોડિયા થઈને ડભોઇ અથવા વડોદરાથી પોર થઈને ડભોઇ તરફ પ્રવાસ કરી શકાશે. રેલવે વિભાગે આ કામગીરી અંગે જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડાને અગાઉથી જાણ કરી દીધી છે.

