VIDEO: વડોદરામાં દશામા પ્રતિમા વિસર્જનના આયોજન સામે વિપક્ષનો રોષ: કૃત્રિમ તળાવો પર વ્યવસ્થાના અભાવના આક્ષેપ
સોર્સ : gstv
વડોદરા શહેરમાં દશામાનો પવિત્ર તહેવાર ચાલી રહ્યો છે ત્યારે આગામી શનિવારના રોજ દશામાં પ્રતિમાનું વિસર્જન આવી રહ્યું છે તેમ છતાં પણ વ્યવસ્થાઓ ઉભી કરવા મા તંત્ર ઉણું ઉતરી રહ્યું છે, શનિવારે મા દશામાં ની હજારો મૂર્તિઓ નું વિસર્જન થશે પણ તંત્ત ની કામગીરી સામે સવાલો ઉભા થયા છે, વડોદરા મહાનગરપાલિકા વિવિધ જગ્યાઓ ઉપર કૃત્રિમ તળાવનું આયોજન કરતી હોય છે પરંતુ જે કુત્રિમ તળાવનું આયોજન કર્યું છે ત્યાં યોગ્ય વ્યવસ્થા નો આભાવ જોવા મળી રહ્યો છ, વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે કૃત્રિમ તળાવ પર વ્યવસ્થાઓ પર અનેક સવાલો ઊભા થાય છે ત્યારે વોર્ડ નંબર 10 કોંગ્રેસના વોર્ડ પ્રમુખ હાર્દિક આમોદયાએ મહાનગરપાલિકા પર અનેક સવાલ ઉભા કર્યા છે હવે જોવાનું રહ્યું કે વડોદરા મહાનગરપાલિકા ના સત્તાધીશો ક્યારે જાગે છે

