VIDEO: સાવલી નજીક મહીસાગર નદીમાં ગેરકાયદે રેતી ખનન મુદ્દે પૂર્વ સરપંચનું આવેદન, ખાણ ખનીજ વિભાગ પર કર્યા ગંભીર આક્ષેપ
સોર્સ : gstv
વડોદરાના સાવલી તાલુકામાં મહીસાગર નદીમાંથી રાત-દિવસ ચાલતા ગેરકાયદે રેતી ખનન મુદ્દે ભાદરવા ગામના પૂર્વ સરપંચ મહેન્દ્રસિંહ રણાએ મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવ્યું છે. ખનીજ માફિયાઓ અને ખાણ ખનીજ વિભાગના અધિકારીઓની મિલીભગત તેમજ સ્થાનિક નેતાગીરીના આશીર્વાદથી આ પ્રવૃત્તિ ચાલતી હોવાનો આક્ષેપ લગાવ્યો છે. ખનીજ માફિયાઓને લઈને ભાદરવા અને પરથમપુરા પંથકના નાગરિકોમાં ભારે રોષ છે.
અગાઉ નદીના ઊંડા ખાડામાં ડૂબી જવાથી અનેક માસુમોના મોત થયા છે, ત્યારે આ ખનનથી 50થી વધુ ગામોના ભૂગર્ભ જળ પ્રદૂષિત થતાં ખેતી અને પીવાના પાણી પર ગંભીર અસર પડી છે. જો સરકાર આ ગેરકાયદે ખનન સામે તાત્કાલિક કડક પગલાં નહીં ભરે તો આગામી સમયમાં "માં મહી બચાવો" અભિયાન શરૂ કરવાની ચીમકી આપવામાં આવી છે.

