VIDEO: અરવિંદ કેજરીવાલ વડોદરાની મુલાકાતે, નીટ પેપરલીકનો મુદ્દો ઉઠાવી ગુજરાત સરકારને કરી આ અપીલ
સોર્સ : gstv
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ વડોદરા પહોંચ્યા છે. પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ધારાસભ્ય ચૈતર વસાવા સહિત આપ કાર્યકરોએ તેમનું ઉષ્માભેર સ્વાગત કર્યું. અરવિંદ કેજરીવાલે નીટ પેપરલીકનો મુદ્દો ઉઠાવી તેમણે કહ્યું કે કે નીટપેપર લીક થતાં ૨૨ લાખ વિદ્યાર્થીઓ પ્રભાવિત થયા છે. કેટલાક વિદ્યાર્થીઓ દુ:ખ અને ડિપ્રેશનમાં છે. કેજરીવાલે 21 જૂનના રોજ ફરી યોજાનારી નીટની પરીક્ષા માટે પંજાબ સરકારના પરીક્ષાર્થી માટે ફ્રી બસ સુવિધાની જાહેરાતનું સ્વાગત કર્યું અને ગુજરાત સરકારને પણ વિદ્યાર્થીઓ માટે ફ્રી બસ વ્યવસ્થા કરવા અપીલ કરી છે.

