Surendranagar: પ્લોટમાં બાવળ નાખવા મુદ્દે બે જૂથ વચ્ચે હિંસક અથડામણ, પથ્થરમારામાં 5થી વધુ ઘાયલ
સોર્સ : GSTV
સુરેન્દ્રનગરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાણે કથળી રહી હોય તેમ વધુ એક હિંસક જૂથ અથડામણની ઘટના સામે આવી છે. સુરેન્દ્રનગર-રાજકોટ હાઇવે પર પ્લોટમાં બાવળ નાખવા જેવી સામાન્ય બાબતે બે જૂથો સામસામે આવી ગયા હતા. આ અથડામણમાં ઉગ્ર પથ્થરમારો થતાં 5થી વધુ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક અસરથી સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. તહેવાર સમયે જાહેર માર્ગો પર આ પ્રકારે થતી હિંસાને પગલે સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

