Video/ Surendranagar માં તંત્રના પાપે અગરિયાઓના આવાસ બન્યા ખંડેર, કરોડોના ખર્ચ બાદ પણ ગરીબો ઘરવિહોણા
સુરેન્દ્રનગર જિલ્લામાં અગરિયાઓ માટે સરકાર દ્વારા બનાવવામાં આવેલા આવાસો હાલ જર્જરિત બની ખંડેર જેવી સ્થિતિમાં પહોંચી ગયા છે. સ્થાનિકો તંત્રની બેદરકારીને કારણે કરોડો રૂપિયાનો ખર્ચ બિનઉપયોગી બન્યો હોવાનો આક્ષેપ કરી રહ્યા છે.
માહિતી મુજબ Dasada વિસ્તારમાં નમક મજદૂર આવાસ યોજના હેઠળ આશરે 180થી વધુ મકાનો બનાવવામાં આવ્યા હતા. આ મકાનો અગરિયાઓને રહેવા માટે ફાળવવામાં આવ્યા હતા, પરંતુ મૂળભૂત સુવિધાઓ ન મળતાં લોકો અહીં રહેવા ગયા જ નહોતાં.
આ યોજના હેઠળ Patdi વિસ્તારમાં 48, Jainabad ખાતે 30, Malvan ખાતે 70 અને Mithagodha વિસ્તારમાં મકાનો બનાવવામાં આવ્યા હતા.
સ્થાનિકોનું કહેવું છે કે સરકાર દ્વારા મકાનોની ફાળવણી તો કરવામાં આવી, પરંતુ પાણી અને વીજળી જેવી જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી નહોતી. પરિણામે અગરિયાઓ અહીં રહેવા આવ્યા જ નહોતા અને સમય જતાં મકાનો બિનઉપયોગી બની ગયા.
હાલ સ્થિતિ એવી છે કે અનેક મકાનોની છતો તૂટી પડી રહી છે અને આખું પ્રોજેક્ટ ખંડેરમાં ફેરવાઈ ગયું છે. સ્થાનિકોમાં આ મુદ્દે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.

