VIDEO: પાળીયાદ- બોટાદ, સારંગપુર હાઈવે પર યમરાજ બનીને ફરી રહ્યા છે ડમ્પરો, વાહનમાંથી પડતા પથ્થરો બનશે અકસ્માતનું કારણ!
સોર્સ : GSTV
ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે, જેમાં સાયલા થી પાળીયાદ, બોટાદ, સારંગપુર મુખ્ય હાઈવે પર ઓવરલોડ ભરીને નીકળતા ડમ્પરોથી અકસ્માતનો ભય વધ્યો છે. ડમ્પરોને એ હદે ભરવામાં આવે છે કે ચાલતા વાહનો માંથી મોટા મોટા પથ્થરો હાઈવે પર પડે છે.
જો કોઈ અકસ્માત સર્જાશે તો જવાબદાર કોણ?
જો કોઈ મોટો અકસ્માત સર્જાશે તો જવાબદાર કોણ તે પણ પ્રશ્વો ઉભા થયા છે. તો બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં મોટા ભાગના અકસ્માતો ડમ્પરોના કારણે થયા છે. ઉલ્લેખનીય છે કે સાયલા-સુદામડા રોડ પર મોટા પ્રમાણમાં ક્વોરી ઉદ્યોગ આવેલા છે. છતાં ક્વોરી માલિકો પણ હાઈવે પર પથ્થરો હટાવતા નથી. શું તંત્ર કોઈ મોટા અકસ્માતની રાહ જોઈ રહ્યું છે.

