VIDEO: Surendranagar માં ટેકાના ભાવે કપાસ ખરીદી માટે રજીસ્ટ્રેશન શરૂ, ખેડૂતોમાં ખરીદીની માત્રા અંગે મૂંઝવણ
સોર્સ : gstv
સુરેન્દ્રનગરમાં ભારતીય કપાસ નિગમ લિમિટેડ (CCI) દ્વારા ટેકાના ભાવે કપાસ ખરીદી માટે રજીસ્ટ્રેશન શરૂ થયું છે, પરંતુ ખેડૂતોએ કૃષિ વિભાગ પાસે સ્પષ્ટીકરણની માંગ કરી છે. CCIના ઠરાવમાં કેટલા મણ કપાસની ખરીદી થશે અને ખરીદી ક્યારે શરૂ થશે તેનો ઉલ્લેખ ન હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે.
આ અસ્પષ્ટતાને લઈને ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. સરકારે કપાસ માટે રૂ. 7,471 પ્રતિ ક્વિન્ટલ એટલે કે પ્રતિ મણ રૂ. 1,612થી 1,622નો ટેકાનો ભાવ જાહેર કર્યો છે. જોકે, ખરીદીની માત્રા અને સમય અંગે સ્પષ્ટ માહિતીના અભાવે ખેડૂતોમાં મૂંઝવણ છે. ખેડૂતો માગ કરે છે કે તંત્ર આ બાબતે સ્પષ્ટીકરણ કરે જેથી તેઓ યોગ્ય આયોજન કરી શકે. આ મામલે વહીવટી તંત્રે ઝડપથી પગલાં લઈને ખેડૂતોની ચિંતાઓ દૂર કરવાની જરૂર છે.

