Surendranagr News: માઈનોર કેનાલથી જગતનો તાત પાયમાલ, ખેતરો બેટમાં ફેરવાયા
સોર્સ : gstv
સુરેન્દ્રનગરમાં ફરી માઈનોર કેનાલથી જગતનો તાત પાયમાલ જોવા મળ્યો છે. 3 મહિના પહેલા રીપેરીંગ કરવામાં આવેલી કેનાલની પરિસ્થિતિ દયનીય જોવા મળી છે.
ખેડૂતોના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. ખેડૂતોની જમીનો બંજર બની ગઈ છે. એક બાજુ ભેજ અને બીજી બાજુ કેનાલો ઓવરફ્લો થઈ છે. 3 મહિના પહેલા રીપેરીંગ કરવામાં આવેલી કેનાલો પર બાવળ અને જાળી જાખરાનું સામ્રાજ્ય જોવા મળ્યું છે. ખેડૂતોના જીરું, ઘઉં ચણા સહિતના પાકોના વાવેતરને નુકસાન થયું છે.
આવી સ્થિતિને જોતા સ્મારકામ કરતી કોન્ટ્રાકટ એજન્સી સામે ખેડૂતોએ સવાલ ઉઠાવ્યા છે. ખેડૂતોના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા અને અધિકારીઓ ખેડૂતોને જવાબ આપી રહ્યા નથી. તેથી ખેડૂતો રોષે ભરાયા છે.

