VIDEO: સુરેન્દ્રનગર: મહિલાના મૃતદેહ સાથે પોલીસ મથકે પરિવારનો હોબાળો
સોર્સ : gstv
સુરેન્દ્રનગરના સીટી પોલીસ મથકે મહિલના મૃતદેહ સાથે પહોંચેલા કેટલાક લોકોએ ન્યાય માટે ભારે હોબાળો મચાવ્યો હતો... વીર વંદના હોસ્પિટલમાં ડૉક્ટરની ગંભીર બેદરકારીના કારણે કણઝરીયા ત્રિવેદીબેન નામના મહિલાનું મોત નીપજ્યું હોવાનો આરોપ લગાવ્યો છે...મહિલાને લોહીના ટકા ઓછા હોવાથી દાખલ કરાઈ હતી, પરંતુ ડૉક્ટર અને સ્ટાફની બેદરકારીને કારણે તેમનું મોત થયાનોપરિવારજનોમાં રોષ ફેલાયો હતો. રાજકોટ હોસ્પિટલમાં પેનલ પોસ્ટમોર્ટમ કરાવવા છતાં પોલીસ દ્વારા કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં ન આવતા, રોષે ભરાયેલા પરિવારજનોએ મહિલાનો મૃતદેહ સીટી પોલીસ મથકમાં જ મૂકીને ન્યાયની ઉગ્ર માંગ કરી હતી.

