VIDEO: ચોટીલાની ઉત્સવ હોટલમાં રાજકોટના વેપારીનો આપઘાત: ઝેરી ગોળીઓ ખાઈ લીધો જીવ!
સોર્સ : gstv
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે આવેલી ઉત્સવ હોટલમાં રાજકોટના કુવાડવા રોડ સ્થિત અમૃત સોસાયટીમાં રહેતા વેપારી પંકજ દુધાત્રાએ ઘઉંમાં નાખવાના ઝેરી ટીકડા ખાઈ આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઈ છે. ગંભીર હાલતમાં તેમને પ્રાથમિક સારવાર અર્થે ચોટીલા સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આપઘાતનું ચોક્કસ કારણ હજુ અકબંધ હોવાથી ચોટીલા પી.આઈ. (PI) દ્વારા હોટલના CCTV ફૂટેજ, મૃતકની કોલ હિસ્ટ્રી અને હોટલ માલિકોની પૂછપરછ હાથ ધરીને અલગ-અલગ દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. આ દુઃખદ ઘટના બાદ મૃતકના પરિવારજનોએ ન્યાયની માંગ કરી છે.

