Surendranagar: 20 વિઘા પર ઉભો કપાસ પાક માલઢોર ચરી ગયા, ખેડૂતે વિરોધ કરતા માલધારીનો હુમલો
સુરેન્દ્રનગરની વાડલા ગામની સીમમાં 20 વિઘા જમીન પર ઉભો કપાસ તૈયાર હતો અને પછી આ કપાસ પર માલધારીઓ દ્વારા માલઢોર છોડી દેવામાં આવ્યા હતા. માલઢોર કપાસના પાક પર ચરી ગયા હતા. આવી સ્થિતિને જોતા ખેડૂતોમાં રોષ ઉભો થયો છે.
ખેડૂતો ઉપર હુમલો પણ થયો
ખેડૂતો ઘણી મહેનત કરી કોઈ પાક તૈયાર કરતા હોય છે. આમ, ખેડૂતોએ મહામુસીબતે કપાસનું વાવેતર કર્યું હતુ પછી તેનું ઉત્પાદન કર્યું હતુ પણ ખેડૂતોએ એ ક્યારેય નહીં વિચાર્યું હોય કે તેમનો પાક ઢોર ચરી જશે. તૈયાર કપાસના પાક ઉપર માલધારીઓ દ્વારા ઢોર મૂકી અને ચારી દેવામાં આવ્યો હતો. અને ખેડૂતો દ્વારા ખેતરમાં માલઢોર ચારવાની ના પાડવામાં આવી તો તેમના પર હુમલો થયો હતો.
હુમલાના LIVE દ્રશ્યો, પોલિસ ફરિયાદ થઈ
ખેડૂતો પર થયેલ આ હુમલાના LIVE દ્રશ્યો પણ સામે આવ્યા હતા. આ મામલે પોલીસ મથકમાં ફરિયાદ પણ કરવામાં આવી હતી. તેમ છતાં કોઈપણ પ્રકારની કાર્યવાહી ન કરવામાં આવી. તેથી ખેડૂતો રોષે ભરાયા છે.

