Surendranagar: ઘુડખર હટાવવા ખેડૂતોની ઉગ્ર માગ, દુધરેજથી કલેકટર ઓફિસ સુધી રેલી યોજી
સોર્સ : GSTV
સુરેન્દ્રનગર જિલ્લાના ગામોમાં ઘુડખરનો ત્રાસ છે.ફોરેસ્ટ વિભાગના અધિકારીઓને રજૂઆત છતાં પણ નિરાકરણ ન આવતા લોકોમાં રોષ છે. જેથી 1 હજારથી વધુ ખેડૂતોએ દુધરેજથી કલેકટર ઓફિસ સુધી રેલી યોજી હતી. આ રેલીમાં 15 થી વધુ ગામોના ખેડૂતો જોડાયા હતા. ત્યારે હવે ઘુડખર હટાવવાની ખેડૂતોએ ઉગ્ર માગ કરી છે. જેને લઈને ખેડૂતો કલેક્ટર કચેરીનો ઘેરાવ કરશે. ત્યારે આ મામલે તાત્કાલિક નિર્ણય કરવા માગ ઉઠી છે.

