VIDEO: ધ્રાંગધ્રા: ૧૪૦ વર્ષ જૂના ફુલેશ્વર મહાદેવે ઉમટ્યા ભક્તો
સોર્સ : gstv
પવિત્ર શ્રાવણ માસના બીજા દિવસે શિવાલયોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં આવેલું ૧૪૦ વર્ષ જૂનું રાજાશાહી સમયનું પૌરાણિક ફુલેશ્વર મહાદેવ મંદિર હજારો શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે. શ્રાવણ નિમિત્તે અહીં શિવલિંગને બરફ, રુદ્રાક્ષ, બીલીપત્ર અને મહાકાલ સ્વરૂપે દિવ્ય શણગાર કરવામાં આવે છે. રોજ સાંજે આરતી બાદ શિવ સ્તુતિ અને રૂદ્રાષ્ટકમના પાઠ યોજાય છે, જ્યારે અમાસે ભવ્ય ભંડારાનું આયોજન કરાયું છે.

