VIDEO: સુરેન્દ્રનગરની ભોગાવો નદીમાં ધોળીધજા નાયકા ડેમનું પાણી છોડાતા 15 ફૂટ ભરાયેલી નદી માત્ર 3 દિવસમાં ખાલી થઈ ગઈ
સોર્સ : gstv
સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતી ભોગાવો નદીને લઈને એક આશ્ચર્યજનક સ્થિતિ સામે આવી છે. થોડા દિવસો પહેલા ધોળીધજા નાયકા સહિતના ડેમોમાંથી પાણી છોડવામાં આવતાં નદી 15 ફૂટ જેટલા ઊંચા પાણીના સ્તરથી છલકાઈ ગઈ હતી, પરંતુ આશ્ચર્યજનક રીતે માત્ર 3 જ દિવસમાં નદીનું આખું પાણી ઓસરી ગયું છે અને નદીના તળિયા દેખાવા લાગ્યા છે. સ્થાનિક માન્યતા મુજબ રાણકદેવીના શ્રાપને કારણે આ નદી ઝડપથી ખાલી થઈ જાય તેવી 1100 વર્ષ જૂની લોકવાયકા પ્રચલિત છે. જો કે, તાર્કિક દૃષ્ટિએ જોઈએ તો યોગ્ય જળસંચયના અભાવે આ પાણી વહીને નળકાંઠાના ગામો તરફ ચાલ્યું જાય છે. સ્થાનિકોનું માનવું છે કે જો નદી પર યોગ્ય ચેકડેમ બનાવવામાં આવે, તો કરોડો લિટર પાણીનો સંગ્રહ થઈ શકે છે અને આ વિસ્તારના જળસંકટને નિવારી શકાય તેમ છે.

