VIDEO: Surendranagar / ધ્રાંગધ્રામાં વ્યાજખોરોનો આંતક; લારી ચલાવતા આધેડ પાસેથી 30% વ્યાજ વસૂલતા 10 શખ્સો સામે ગુનો નોંધાયો
સોર્સ : GSTV
સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં વ્યાજખોરો સામે પોલીસે લાલ આંખ કરી છે. લારી ચલાવી ગુજરાન ચલાવતા એક આધેડ પાસે 15 ટકાથી 30 ટકા સુધીનું અધધ વ્યાજ વસૂલતા 10 વ્યાજ માફિયાઓ સામે પ્રથમ વખત મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જિલ્લા પોલીસવડાને રજૂઆત બાદ જેહલ મેવાડા, દશરથ મેવાડા અને પરેશ પ્રજાપતિ સહિત 10 શખ્સો સામે ગુનો નોંધાયો છે. લાયસન્સ વગર વ્યાજવટાવનો ધંધો કરતા આ શખ્સો સામે DYSP કક્ષાના અધિકારી તપાસ ચલાવી રહ્યા છે. પોલીસની આ કડક કાર્યવાહીથી વ્યાજ માફિયાઓમાં ભારે ફફડાટ ફેલાયો છે.

