સુરેન્દ્રનગરમાં તાલુકા પંચાયતના બે આઉટસોર્સિંગ કર્મચારીઓ વિરુદ્ધ લાંચ મામલે ફરિયાદ

સુરેન્દ્રનગર જિલ્લાની વઢવાણ તાલુકા પંચાયતમાં ટેકનિકલ આસિસ્ટન્ટ આઉટસોર્સિંગ તરીકે ફરજ બજાવતા બે શખ્સો વિરુદ્ધ એસીબીમાં ફરિયાદ નોંધવામાં આવી છે. નગરા ગામના ફરિયાદી પાસે મનરેગા યોજનામાં ખેત તલાવડીના ₹1,70,124 મંજૂર થયા હતા. જેમાં મંજૂર થયેલ રકમના 50% લાંચ માંગી હોવાની ફરિયાદીએ એસીબીમાં ફરિયાદ નોંધાવી છે.
આ મામલે નગરા ગામના ત્રણ ફરિયાદીઓએ મોબાઇલમાં થયેલ વાતચીત સહિતના પુરાવા સાથે એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ કરી છે. ફરિયાદના આધારે એસીબી પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. આ મુદ્દે વઢવાણ તાલુકા પંચાયતમાં ટેકનિકલ આસિસ્ટન્ટ આઉટસોર્સિંગમાં ફરજ બજાવતા પ્રતીક અનિલભાઈ પીપડીયા અને દિનેશ ગંગારામભાઈ બાવળીયા વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.

