Surendranagr news: SITની રચના બાદ અનેક અધિકારીઓ આવ્યા ACBના રડાર પર, મિલકોતની થશે સંપૂર્ણ તપાસ

સોર્સ : gstv
સુરેન્દ્રનગરમાં ACBએ SITની રચના કર્યા બાદ તત્કાલિન કલેક્ટર રાજેન્દ્ર પટેલ સહિત ચાર અધિકારીઓ સામે નોંધાયેલી ફરિયાદની તપાસ વધુ ઝડપી બની છે. રાજેન્દ્ર પટેલના નજીકના અધિકારીઓની સંપત્તિ અને આવકની ચકાસણી શરૂ થઈ શકે છે. SITની રચના બાદ અનેક અધિકારીઓ પર ACBની નઝર છે.
અધિક કલેક્ટર આર.કે. ઓઝા અને ચર્ચિત મયુર દવેની મિલકતોની તપાસ
અધિક કલેક્ટર આર.કે. ઓઝા અને ચર્ચિત મયુર દવેની મિલકતોની તપાસના એંધાણ છે. નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની આવક કરતાં વધુ સંપત્તિ હોવાનું પ્રાથમિક તારણ છે. રાજેન્દ્ર પટેલ પર 5 કરોડ રૂપિયાથી વધુ મિલકતના આરોપ છે, જ્યારે મયુર દવે મિલકતો સગેવગે કરવાની ચર્ચા ચાલી રહી છે.

