VIDEO: ધ્રાંગધ્રાનું 200 વર્ષ જૂનું ઐતિહાસિક અને અદભુત એકદંત ગણપતિ મંદિર
સોર્સ : gstv
સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં આવેલું 200 વર્ષ જૂનું એકદંત ગણપતિ મંદિર સમગ્ર ગુજરાતમાં અનોખું અને પૌરાણિક મહત્ત્વ ધરાવે છે. ધ્રાંગધ્રા સ્ટેટના રણમલસિંહજી દ્વારા સ્થાપિત આ ભવ્ય મંદિરમાં બિરાજમાન ગણેશજીની પ્રતિમા અનેક વિશેષતાઓ ધરાવે છે. ભારતમાં માત્ર ધ્રાંગધ્રા અને ગોલકુંડામાં જ એવી દુર્લભ મૂર્તિ જોવા મળે છે કે જ્યાં ગણેશજી સીધી સૂંઢ, એક દંત અને ગળામાં સર્પની જનોઈ ધારણ કરીને પોતાના પરિવાર સાથે બિરાજે છે. ગણેશોત્સ્વ દરમિયાન હજારો ભક્તો દર્શનાર્થે ઉમટી પડે છે, અને મહાપ્રસાદ તેમજ ભવ્ય હવનનું ભક્તિસભર આયોજન કરવામાં આવે છે

